VIDEO: સત્યેન્દ્ર જૈનને મોટી રાહત: સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ ટેન્ડર કૌભાંડ કેસમાં કોર્ટે જામીન મંજૂર કર્યા
સોર્સ : gstv
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયામાં કથિત અનિયમિતતા સાથે સંકળાયેલા કેસમાં જામીન આપ્યા છે. સ્પેશિયલ જજ ડીઆઈજી વિનય સિંહે આ આદેશ આપ્યો છે. દિલ્હી જલ બોર્ડના આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગત ૧૮ ઓગસ્ટના રોજ એસીબી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. મે ૨૦૨૪માં સતર્કતા નિયામકની ફરિયાદના આધારે ટેન્ડર શરતોમાં છેડછાડ અને લાંચના આરોપસર આ કેસ નોંધાયો હતો. હાલ જામીન મળવાથી તેમને મોટી રાહત મળી છે, જ્યારે કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

