VIDEO: સત્યેન્દ્ર જૈનને 14 દિવસની કસ્ટડીનો કોર્ટનો આદેશ
દિલ્હી જલ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે. કોર્ટે સત્યેન્દ્ર જૈન ઉપરાંત અન્ય 4 આરોપીઓને પણ 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે જ્યારે એક આરોપી અંકિત શ્રીવાસ્તવને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બુધવારે એન્ટી-કરપ્શન બ્રાન્ચે તમામ આરોપીઓને રાઉઝ એવેન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસની ન્યાયિક હિરાસતની માંગ કરી હતી. કોર્ટે આ અરજી સ્વીકારી અને તમામ આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા. આ દરમિયાન આ આરોપીઓની જામીન માટે પણ અરજી દાખલ થઈ છે જેના પર 25 ઓગસ્ટે સુનાવણી કરવામાં આવશે. કોર્ટ સમક્ષ હાજર થતા પહેલા મીડિયાના સવાલના જવાબમાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, પંજાબ ચૂંટણીને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.

