Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Anna Hazare's entry on the issue of NEET paper leak

VIDEO: NEET પેપર લીક મામલે અન્ના હઝારેની એન્ટ્રી, PM મોદીને પત્ર લખી કરી આ માગ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

NEET પેપર લીક વિવાદ અને દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સામાજિક કાર્યકર અન્ના હજારેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે સરકારને સલાહ આપી છે કે આંદોલનને દબાવવાને બદલે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. દેશના લાખો યુવાનો પેપર લીક અને બેરોજગારીથી પરેશાન છે.

App Store

યુવાનોની સ્થિતિ પર અન્ના હજારેએ વ્યક્ત કરી ચિંતા

અન્ના હજારેએ પત્રમાં જણાવ્યું કે આ વર્ષે 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પેપર લીક અને ગડબડીના કારણે નિરાશ થઈને 22 બાળકોએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ ગડબડી થાય ત્યારે માત્ર નાના કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે અને મોટા અધિકારીઓ બચી જાય છે. ઉચ્ચ અધિકારીઓએ પણ તેની સીધી જવાબદારી લેવી જોઈએ.

'રાજીનામું લેવાથી સરકાર પડી નહીં જાય'

છેલ્લા 25 દિવસથી રસ્તા પર બેઠેલા વિદ્યાર્થીઓ અને વાલીઓનું સમર્થન કરતા અન્નાએ લખ્યું કે જવાબદાર વિભાગના વડાનું રાજીનામું લેવું જોઈએ. રાજીનામું લેવાથી સરકાર નથી પડી જતી, પરંતુ તેનાથી વહીવટી તંત્રમાં સ્પષ્ટ સંદેશ જાય છે કે બેદરકારી સહન કરવામાં નહીં આવે.

વિપક્ષનો અવાજ ગણીને પ્રદર્શનકારીઓની ઉપેક્ષા ન કરો

દિલ્હીમાં બનેલી ઘટનાઓ અને સોનમ વાંગચુકને અનશન સ્થળેથી હટાવવા પર અન્ના હજારેએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આટલા દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે, છતાં સરકારી પ્રતિનિધિઓએ તેમની સાથે વાત કરી નથી. પ્રદર્શન કરી રહેલા લોકો દેશના જ નાગરિકો છે, તેથી તેમના અવાજને વિપક્ષી અવાજ ગણીને ફગાવી દેવો યોગ્ય નથી.

લોકશાહીમાં સંવાદ જ સાચો રસ્તો

મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને બંધારણીય મૂલ્યો યાદ અપાવતા તેમણે જણાવ્યું કે લોકશાહીમાં સંઘર્ષ કરતા વાતચીતનો માર્ગ વધુ ઉત્તમ છે. સરકારે સંયમ દાખવીને વિદ્યાર્થીઓ અને નાગરિકો વચ્ચે ફરીથી વિશ્વાસ ઊભો કરવો જોઈએ.