VIDEO: બિહારમાં સરકારી ભરતીના ઠાલા આશ્વાસનો વચ્ચે શિક્ષિત બેરોજગારોમાં ભારે રોષ, રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ
સોર્સ : GSTV
બિહારમાં સરકારી ભરતીના ઠાલા આશ્વાસનો વચ્ચે વિદ્યાર્થીઓએ ફરી રસ્તા પર ઉતરવું પડ્યું. વાયદા પર વાયદા છતાં ભરતી ન થતા શિક્ષીત બેરોજગારોનો ગુસ્સો સાતમા આસમાને છે. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને ખોટા કેસના વિરોધના ભાગરૂપે પુતળાનું દહન કર્યું હતુ. વિદ્યાર્થીઓએ કહ્યું કે, શિક્ષણમંત્રી પણ બદલાઈ ગયા છતા આશ્વાસન એ જ મળી રહ્યું છે. અને તેમની માગને લઈને આગામી સમયમાં પણ આંદોલન તેજ કરાશે.

