VIDEO: કર્ણાટકમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી
સોર્સ : gstv
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે બુધવારે પોતાના કેબિનેટ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી છે. નાણા અને કૃષિ સહિત 10થી વધુ મંત્રાલય પોતાની પાસે રાખ્યા. બી.ઝેડ. ઝમીર અહેમદ ખાનને આવાસ, કે.એચ. મુનિયપ્પાને સમાજ કલ્યાણ અને યુ.ટી. ખાદરને લઘુમતી કલ્યાણ, હજ-વક્ફ તથા આરોગ્ય વિભાગ સોંપાયો છે. એમ.બી. પાટીલને વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગની જવાબદારી આપવામાં આવી છે. કેબિનેટમાં સ્થાન ન મળતાં કેટલાક જૂના મંત્રીઓની નારાજગી વચ્ચે આ ખાતા ફાળવણી કરવામાં આવી છે. જોકે ડી.કે. શિવકુમારે વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ ફરી કેબિનેટ ફેરબદલ અંગે વિચારણા થવાની શક્યતા વ્યક્ત કરી છે.

