VIDEO : રામ મંદિર દાનચોરી મામલે અખિલેશ યાદવના ગંભીર આરોપો
સોર્સ : GSTV
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કથિત રીતે મોટા પાયે કરોડો રૂપિયાના દાન અને ચંદાની ચોરીનો મામલો સામે આવતા જ ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ કથિત કૌભાંડને લઈને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ પવિત્ર ધાર્મિક સ્થળ પર મોટો ગોરખધંધો ચાલી રહ્યો છે અને જો મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવામાં આવે, તો ચોરીની તમામ હકીકતો દેશની સામે આવી જશે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે અયોધ્યામાં માત્ર દાનમાં જ નહીં, પરંતુ જમીનોની ખરીદી અને સરકારી પ્રોજેક્ટ્સમાં પણ મોટા પાયે ગોટાળા આચરવામાં આવ્યા છે. વિપક્ષના આ આક્રમક વલણ બાદ રામ મંદિર ટ્રસ્ટ અને સરકાર તરફથી સ્પષ્ટતાની માંગ ઉઠી રહી છે.

