VIDEO : લખનઉની આગ બાદ સક્રિય તંત્ર, પ્રયાગરાજમાં નિયમ વિરુદ્ધ ચાલતા કોચિંગ સેન્ટરો સીલ
સોર્સ : GSTV
લખનઉમાં બનેલી આગની દુર્ઘટના બાદ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સખત કાર્યવાહી કરવામાં આવી છે. પ્રયાગરાજમાં નિયમોનું ઉલ્લંઘન કરી ચાલતા ૪ કોચિંગ સેન્ટરોને PDA દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા PDA ના પ્રાદેશિક અધિકારી એ જણાવ્યું હતું કે, શહેરના અન્ય કોચિંગ સંચાલકોને પણ નોટિસ આપવામાં આવી છે અને નિર્ધારિત સુરક્ષા માપદંડોનું પાલન કરવું અનિવાર્ય છે. વહીવટી તંત્રના આ કડક વલણને પગલે કોચિંગ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી દાખવતા સંસ્થાનો સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

