Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 9 fishermen from Rameswaram arrested by Sri Lankan Navy

VIDEO: રામેશ્વરમના 9 માછીમારોની શ્રીલંકન નૌકાદળે ધરપકડ કરી

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના રામેશ્વરમના 9 માછીમારોની શ્રીલંકન નૌકાદળે ધરપકડ કરી છે. કચ્ચતીવુ નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાર કરીને માછીમારી કરવાનો આરોપ માછીમારો પર મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, માછીમારોને દરિયામાં માછીમારી દરમિયાન શ્રીલંકન નૌકાદળે ઝડપી લીધા હતા. ધરપકડ બાદ તમામ માછીમારોને શ્રીલંકા લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રામેશ્વરમના માછીમારો અને તેમના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. દરિયાઈ સીમા અને માછીમારીના મુદ્દે તમિલનાડુના માછીમારોની શ્રીલંકન નૌકાદળ દ્વારા ધરપકડનો મુદ્દો અગાઉ પણ સામે આવ્યો છે. સ્થાનિક માછીમાર સંગઠનો દ્વારા ઝડપાયેલા માછીમારોને પરત લાવવા માંગ કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News