VIDEO : વાવ અને થરાદ પંથકમાં મિની વાવાઝોડું, મકાનોના પતરાં ઉડ્યા, વૃક્ષો ધરાશાયી
સોર્સ : gstv
વાવ અને થરાદ પંથકમાં આવેલા વિનાશક તોફાની પવનને કારણે રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને વાઘપુરા, સણવાલ અને દૈયપ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે અનેક મકાનો અને શેડના પતરાં હવામાં ઉડી ગયા હતા. આ કુદરતી આફતમાં ખેતરોમાં ઉભેલા મોટા વૃક્ષો પણ મોટા પ્રમાણમાં ધરાશાયી થતાં ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

