VIDEO: Valsad / ભૂમાફિયાઓ સાથે મળીને આદિવાસીઓની જમીન પચાવી પાડે છે; પૂર્વ ધારાસભ્યના પોતાની જ પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપ
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજનીચૂંટણી પરિણામ બાદ વલસાડના ઉમરગામમાં ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શંકર વારલીએ પોતાની જ પાર્ટીના સ્થાનિક નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરી ભારે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે પ્રદેશ સ્તરે ભાજપ યોગ્ય છે, પરંતુ ઉમરગામના સ્થાનિક નેતાઓ ભૂમાફિયાઓ અને ઉદ્યોગપતિઓ સાથે મળીને આદિવાસીઓની જમીનો પચાવી પાડી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

