VIDEO: ૧૧ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવીન સરદારધામ ભવનનું લોકાર્પણ
સોર્સ : gstv
વડોદરા ખાતે આગામી ૧૧ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવીન સરદારધામ ભવનનું લોકાર્પણ થવાનું છે, જેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા હતા. તેમણે સરદારધામ ખાતે અધિકારીઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે મહત્વની બેઠક યોજી વ્યવસ્થાઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી. લોકાર્પણ બાદ વડાપ્રધાન અહીં એક જંગી જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે, જેને લઈને સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

