VIDEO: વડોદરાના ઈલોરા પાર્કમાં ઈકો ફ્રેન્ડલી રીતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું
સોર્સ : GSTV
VIDEO: ગણેશ વિસર્જનને લઈને વડોદરા ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી . અહીં શ્રીજીની માટીની મૂર્તિઓનું ઈકો ફ્રેડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈલોરાપાર્ક સંકુલ ખાતે જર્મનીથી આયાત કરેલો કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટુ આયોજન કરવામાં આવતું હોય છે. ઈન્દ્રપ્રસ્થની વાત કરીયે તો અહીં 1900 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાત્રી સુધીમાં 3200 જેટલી મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવશે.

