VIDEO : વડોદરામાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા સામે ઉઠ્યા સવાલો, PM મોદીની ઈંધણ બચાવવાની હાકલ
સોર્સ : gstv
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની સ્થિતિને પગલે દેશમાં પેટ્રોલિયમ પેદાશોની સર્જાયેલી તંગી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ઈંધણ બચાવવાની ખાસ અપીલ કરી છે. જેના પર વડોદરાના વાહન ચાલકોએ પ્રતિક્રિયા આપતા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા સામે જ સવાલ ઉઠાવ્યા હતા. લોકો કહેતા જોવા મળ્યા કે, ક્યારેય ન જોયા હોય તેવા કપરા દિવસો આજે જોવા મળી રહ્યા છે. કામ માટે બહાર નીકળવું તેમની મજબૂરી છે, પરંતુ જો સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરે તો તેઓ ઈંધણ બચાવવા તૈયાર છે. આમ, વિકટ સ્થિતિ વચ્ચે નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

