Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Surendranagar: Traffic of villagers at risk of life on the dilapidated bridge closed for years due to gross negligence of the system.

VIDEO:સુરેન્દ્રનગરઃ તંત્રની ઘોર બેદરકારી વર્ષથી બંધ જર્જરિત પુલ પર જીવના જોખમે ગ્રામજનોની અવરજવર

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના ખમીસણા નજીક આવેલી નર્મદા કેનાલ પરના પુલને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પુલ નીચેથી અત્યંત જર્જરિત થઈ જતાં તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવાયો હતો, પરંતુ આજ દિન સુધી તેના રીનોવેશન કે નવીનીકરણની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી. પરિણામે, આજુબાજુના ૭ થી વધુ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કંટાળેલા ગ્રામજનોએ આખરે જાતે જ પુલ પરની માટી હટાવીને આ જોખમી પુલ પરથી વાહનોની અવરજવર શરૂ કરી દીધી છે. અહીં વાહનો પલટી ખાવાની ઘટનાઓ પણ બની રહી છે. નીચેથી ગમે ત્યારે પુલ તૂટી પડે તે પહેલાં તંત્ર તાકીદે જાગે તેવી લોક માંગ ઉઠી છે.

App Store