VIDEO: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે પેન્ડિંગ અરજીઓ મામલે પોલીસને આદેશ આપ્યો
સોર્સ : gstv
રાજ્યમાં થોડાક દિવસ પહેલા IPS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરમાં નવા રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે પોલીસને મોટો આદેશ આપ્યો છે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે આદેશ આપ્યો છે કે કોઈપણ પ્રકારની અરજીઓ પેન્ડિંગ રાખવામાં નહીં આવે અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. સુરેન્દ્રનગર પોલીસે પ્રથમ વખત અરજી મેળાનો પ્રારંભ કર્યો છે.
નિકાલ ન થયેલી અરજીઓ ફરી સાંભળવામાં આવશે
અગાઉ કરાયેલી પરંતુ નિકાલ ન થયેલી અરજીઓ ફરી સાંભળવામાં આવશે. તો બીજી તરફ આ મામલેરેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જિલ્લાના ચાર ડીવાયએસપીને જવાબદારી સોંપાઈ છે. લોકો સુધી ઝડપથી ન્યાય પહોંચે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

