VIDEO: દુધરેજ વટેશ્વર વનમાં પર્યટકો મુશ્કેલીમાં: પીવાનું પાણી પણ અપ્રાપ્ય
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના દુધરેજ નજીક રૂ. ૧૦ કરોડથી વધુના ખર્ચે બનેલા વટેશ્વર સાંસ્કૃતિક વનમાં આવતા પર્યટકો પાણીની સુવિધા ન હોવાથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વનની અંદર બહારથી પાણી લઈ જવા પર મનાઈ છે, જ્યારે અંદર આવેલી પરબોમાં પણ પાણી ન હોવાથી પર્યટકો તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. પર્યટકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.

