VIDEO: સુરેન્દ્રનગર પોલીસની ઉમદા કામગીરી, વ્યાજખોરોના ચુંગાલમાંથી 70 તોલા સોનું છોડાવી મૂળ માલિકને પરત અપાવ્યું
સોર્સ : gstv
પ્રજાની રક્ષા માટે પોલીસ ધારે તો શું ના કરી શકે. તેનું એક ઉત્તમ ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ પુરુ પાડ્યું. વ્યાજખોરોના ચુંગાલમાંથી 70 તોલા સોનું છોડાવી મૂળ માલિકને પરત અપાવ્યું. એટલું જ નહીં, વ્યાજ માફિયાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અંદાજે એક કરોડ રૂપિયાનું સોનું ચાર વર્ષ પહેલાં ધંધામાં આર્થિક જરૂરિયાત ઊભી થતાં ગીરવે મુકવામાં આવ્યું હતું. લીંબડીના પરિવાર પાસે વ્યાજ ભરવાની પરિસ્થિતિ ન હોવાને કારણે સોનું વ્યાજ માફિયાઓ પાસે જ અટવાઈ ગયું હતું. પરિવારે પોલીસ વડાને રજૂઆત કરતા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હતી.

