VIDEO: સુરેન્દ્રનગર / મનપા દ્વારા શહેરમાં જર્જરીત બનેલા 64 મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરીત બનેલા 64 મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અગાઉ આ મકાનો ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હોવા છતાં માલિકોએ કોઈ કાર્યવાહી ન કરતા, સુરક્ષાના ભાગરૂપે પાલિકાની ટીમોએ વઢવાણ, જોરાવરનગર અને રતનપર સહિતના વિસ્તારોમાં આ તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરી છે. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી લેવાયેલા આ પગલા બાદ, મકાનો તોડવાનો ખર્ચ વસૂલવા માટે સિટી સર્વે ભવનમાં મૂળ માલિકોના નામે મિલકત પર બોજા પણ દાખલ કરવામાં આવ્યા છે.

