સુરેન્દ્રનગર: મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો મામલો, અધિકારીઓ પાસે માંગ્યા 11 મુદ્દાઓના જવાબ

સુરેન્દ્રનગરના થાનમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગ મામલે અધિકારીઓ પાસેથી 11 મુદ્દાના જવાબો માગવામાં આવ્યા છે. ગોડાઉન મેનેજર સહિતના અધિકારીઓ પાસે તપાસકર્તા પ્રાંત અધિકારીએ જવાબ માગ્યા છે.
11 મુદ્દાના જવાબો માગવામાં આવ્યા
ગોડાઉનના દસ્તાવેજો તેમજ ભાડે રાખતા સમયે નિયમોનું પાલન કરવાનું હોય તે અંગેના બાંયધરીપત્રો જેવા પુરાવા લઈ હાજર રહેવા અને જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
6.56 કરોડનું નુકસાન થયું
મહત્વનું છે કે ગોડાઉનમાં આગને કારણે પાંચ જિલ્લાની 20 મંડળીઓની ટેકાના ભાવે ખરીદેલી મગફળીની લગભગ 25 હજાર બોરીઓ બળી ગઈ. અને અંદાજે 6.56 કરોડનું નુકસાન થયું છે. અને હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

