VIDEO: ત્રણ દિવસીય વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર સક્રિય
સોર્સ : gstv
હવામાન વિભાગની ત્રણ દિવસીય વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર સક્રિય છે.... સંભવિત જોખમને ટાળવા માટે જાહેર રોડ પર લગાવવામાં આવેલા જોખમી બેનરો અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાગરિકોને નદીઓ, તળાવો અને જળાશયો તરફ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે તેમજ વાવાઝોડાથી નુકસાન પામી શકે તેવી વસ્તુઓ તાત્કાલિક સુરક્ષિત કરી લેવા અપીલ કરાઈ છે. આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડની ટીમોને સ્ટેન્ડબાય રાખવાની સાથે જરૂરી સાધન-સામગ્રીની સમીક્ષા પણ કરવામાં આવી છે,

