VIDEO: Surendranagar / એસ.ટી.ના ડ્રાઈવરનું હિટસ્ટ્રોકથી મોત: જીવના જોખમે બસ સલામત ઉભી રાખી 42 મુસાફરોનો જીવ બચાવ્યો
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે હિટસ્ટ્રોકની ઘટનામાં એસ.ટી. બસના ડ્રાઇવરે જીવ ગુમાવ્યો છે. રાજ સીતાપુર નજીક ચાલુ બસ દરમિયાન ડ્રાઇવર રામદેવસિંહ પરમારને અચાનક ગરમી લાગતા તબિયત બગડી હતી. સમયસર સમજદારી દાખવી તેમણે બસ ઉભી રાખી દીધી, જેના કારણે બસમાં સવાર 42 મુસાફરોનો જીવ બચી ગયો હતો. પરંતુ ગણતરીની જ મિનિટોમાં ડ્રાઇવરને હાર્ટ સ્ટ્રોક આવતા તેમનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા એસ.ટી. વિભાગના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગરમીના કારણે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

