VIDEO: 14 વર્ષથી ફસાયેલા ₹10.50 લાખ સુરેન્દ્રનગર પોલીસે મધ્યસ્થતાથી પરત અપાવ્યા
સોર્સ : gstv
સુરેન્દ્રનગર પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને 14 વર્ષથી ફસાયેલા 10 લાખ 50 હજાર અરજદારને પરત અપાવ્યા છે. નિકુંજ શાહે વર્ષ 2010માં સુરેન્દ્રનગર-દુધરેજ વિસ્તારમાં પ્લોટ ખરીદ્યો હતો, પરંતુ રેકોર્ડની ખામીના કારણે પ્રોપર્ટી કાર્ડ ન નીકળતાં જમીનનું વેચાણ શક્ય બન્યું નહોતું અને તેમની રકમ વર્ષો સુધી અટવાઈ રહી હતી. આ મામલે નિકુંજભાઈએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ સીટી એ-ડિવિઝનના પીઆઈ આર.એમ. સંગાડા અને પીએસઆઈ એચ.એસ. જાડેજાએ બંને પક્ષો વચ્ચે કાયદાકીય મધ્યસ્થતા કરીને સમાધાન કરાવ્યું. પોલીસની સમજાવટ બાદ સામાવાળા પક્ષે 10 લાખ 50 હજારની સંપૂર્ણ રકમ પરત આપી હતી..

