Surendranagarમાં ખનિજ માફિયાઓ બેફામ, નાયબ મામલતદારની ટીમ પર હથિયારોથી કર્યો હુમલો
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન રોકવા ગયેલી સરકારી ટીમ પર ખનિજ માફિયાઓએ હિંસક હુમલો કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. થાન વિસ્તારમાં ખનિજ ચોરીની વ્યાપક ફરિયાદોને પગલે નાયબ મામલતદાર અને તેમની ટીમ દરોડો પાડવા માટે પહોંચી હતી. આ દરમિયાન ખનિજ માફિયાઓએ સરકારી ગાડીઓને નિશાન બનાવી તોડફોડ કરી હતી. ફરજ પરના અધિકારીઓ પર થયેલા આ હુમલાને પગલે સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર મામલે હાલમાં 6 જેટલા ખનિજ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ શખ્સોની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કરાયા છે અને ખનિજ ચોરી માટે દરોડા પાડવા જતી ટીમોને પણ સુરક્ષા આપવાની માગ ઉઠી છે.

