Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Kisan Yatra reaches the roots of Surendranagar: Congress leaders are proud of the issue of compensation of power poles

VIDEO: સુરેન્દ્રનગરના મૂળીમાં પહોંચી કિસાન યાત્રા: વીજ થાંભલાના વળતર મુદ્દે કોંગ્રેસના નેતાઓનો હુંકાર

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આજે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને 'કિસાન યાત્રા' આવી પહોંચી હતી, જેમાં સ્થાનિક જગતના તાત મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કિસાન યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના ઉચ્ચ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજ કંપનીઓના મોટા વીજ થાંભલાઓ (ટાવર) સામે પૂરતું અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ કોરિડોર નીતિ સાથે જ કામગીરી થાય તેવી મજબૂત માંગ સાથે આ યાત્રા યોજાઈ રહી છે. મૂળી ખાતે સભા કર્યા બાદ આ કિસાન યાત્રા સાપકડા ગામ તરફ જવા રવાના થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ સરકાર આડે હાથ લેતા આક્રોશભેર હુંકાર કર્યો હતો કે, ખેડૂતો પર થતા કોઈપણ પ્રકારના અત્યાચાર હવે ચલાવી લેવામાં નહીં આવે અને વળતરની લડત ઉગ્ર બનાવાશે.

App Store