Surendranagar: ઋત્વિક મકવાણાનો CMને પત્ર; કાર્બોસેલની ખાણો કાયદેસર કરી 28 હજાર મજૂરોને રોજગારી આપવા માંગ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલના ખોદકામને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. તાજેતરમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખાણો બંધ કરાવવામાં આવતા અંદાજે 28 હજારથી વધુ મજૂરો બેરોજગાર બન્યા છે.ઋત્વિક મકવાણાએ રજૂઆત કરી છે કે તેલંગાણા અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ થાન-મૂળી પંથકમાં કાર્બોસેલની ખાણો કાયદેસર કરી 28 હજારથી વધુ મજૂરોને રોજગારી આપે તેવી માંગ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ગેરકાયદેસર ખનન અને ચોરી અટકાવવા માટે ખાણોની કાયદેસર ફાળવણી કરવી અનિવાર્ય છે.

