VIDEO: સુરેન્દ્રનગરમાં ૪૪૩ પોલીસકર્મીઓની બદલી બાદ ૨૨ કર્મીઓના સ્થળ બદલાતા ચર્ચા જાગી
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસબેડામાં મોટો ફેરબદલ સામે આવ્યો છે. તાજેતરમાં જિલ્લા પોલીસવડા દ્વારા ૪૪૩ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી ૨૨ પોલીસકર્મીઓની બદલીના સ્થળોમાં અચાનક ફેરફાર કરીને તેમને સાચવી લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સુધારેલા આદેશ મુજબ ૬ પોલીસકર્મીઓને LCB અને SOG જેવી મહત્વની બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડાએ વિચારણા કરીને આ તમામ ૨૨ કર્મીઓને નવી નિયુક્તિવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે. જોકે, અચાનક બદલીઓ અટકાવીને ફેરફાર કેમ કરવો પડ્યો તે અંગે પોલીસબેડામાં સળગતા સવાલો ઊભા થયા છે.

