Surendranagar news: મહાનગરપાલિકામાં આંતરિક વિવાદ વકર્યો, ડે.મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા સાથે જાણો શું થયું

સોર્સ : gstv
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આંતરિક વિવાદ વકર્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા પાસેથી દક્ષિણ ઝોનનો વધારાનો ચાર્જ આંચકી લેવામાં આવ્યો છે. SK કટારા નિવૃત્ત થયા બાદ ચાવડાને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
ડેપ્યુટી કમિશનરનો ચાર્જ એન્જિનિયર કલ્પેશ ચૌહાણ ને સોંપવામાં આવ્યો
હવે દક્ષિણ ઝોનનો ડેપ્યુટી કમિશનરનો ચાર્જ એન્જિનિયર કલ્પેશ ચૌહાણ ને સોંપવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સૂત્રો મુજબ, આ ફેરબદલી પાછળ કોન્ટ્રાક્ટની ફાઈલોમાં મોટી ગેરરીતિ હોવાની ચર્ચા છે.દક્ષિણ ઝોનનો ચાર્જ આચકી લેવાયા બાદ DMC અર્જુન ચાવડા પોતે પણ રજા ઉપર ઉતરી ગયા છે, જેનાથી મહાનગરપાલિકાના અંદરનો વિવાદ વધુ વકર્યો છે.

