VIDEO: સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબેલા 4 યુવકોના મોત, મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર
સોર્સ : gstv
સુરેન્દ્રનગરની ઉમય નદીમાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોતનો મામલો વિવાદમાં સપડાયો છે... ભોગ બનનારાના પરિવારોએ જવાબદાર સોલાર કંપની અને કોન્ટ્રાક્ટરો સામે ગુનો નોંધી મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ પ્લાન્ટ રાજકીય આગેવાનોનો હોવાની ચર્ચા વચ્ચે પોલીસે માત્ર એડી નોંધીને કડક કાર્યવાહી ટાળી હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવામાં આવ્યા છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો છે.

