VIDEO: મૂળીના 4 ગામોના તળાવ ભરાશે: ખેડૂતોમાં ખુશી
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના જસાપર, હેમતપર, નલિયા અને નવાણિયા ગામના તળાવોને ધોળીધજા ડેમથી ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ફીડર લાઈનમાં જોગવાઈ ન હોવાથી ખેડૂતો પરેશાન હતા, પરંતુ 18 ઓગસ્ટે રાજુભાઈ કરપડાએ ગાંધીનગરમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી રજૂઆત કરી હતી. સફળ રજૂઆત બાદ હવે ટૂંક સમયમાં જ સર્વે શરૂ થશે અને ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

