VIDEO: સુરેન્દ્રનગરમાં 3 મોટા ખનિજ માફિયા તડીપાર
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી ડામવા માટે તંત્રએ લાલ આંખ કરી છે. થાનગઢ અને મૂળી પંથકમાં ખનિજ માફિયાઓનું લિસ્ટ તૈયાર કરી પ્રથમ તબક્કામાં ત્રણ મોટા માફિયાઓ- વિઠ્ઠલ જાગા, રાહુલ જાગા અને રણું અલગોતરને તડીપાર કરવામાં આવ્યા છે.આ આરોપીઓ જમીનમાં ૧૬૦ ફૂટ ઊંડી ગેરકાયદેસર ખાણો બનાવી, પ્રતિબંધિત વિસ્ફોટકો દ્વારા બ્લાસ્ટિંગ કરીને કોલસાની ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, આ ત્રણેય ઇસમોએ અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની ખનિજ ચોરી આચરી છે. હાલ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ માફિયાઓને તડીપાર કરી, તેમની તેમજ પરિવારના નામે રહેલી બેનામી મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી છે.

