VIDEO: સુરેન્દ્રનગરમાં 21 વર્ષ જૂની સ્કૂલ બસમાંથી પડતા વિદ્યાર્થીનું મોત: RTO અધિકારીઓની મોટી લાપરવાહી સામે આવી
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના રાજસીતાપૂર નજીક વિદ્યાર્થીના મોતની ઘટનામાં હવે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ 21 વર્ષ જૂની બસને નિયમો વિરુદ્ધ રી-પાર્સિંગ અને વીમો આપવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સાત વર્ષીય વિદ્યાર્થી દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી બસની અંદરનો ભાગ તૂટી જતાં નીચે પટકાતા જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ વિદ્યાર્થીઓના પરિવહનમાં ઉપયોગમાં લેવાતી જૂની અને જર્જરિત બસોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

