VIDEO: સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ જળબંબાકાર, તંત્રની નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં રોષ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં વરસાદ વિરામ લીધાના 24 કલાક વિતી ગયા છતાં 80 ફૂટ રોડ, સુગમ, સંત સવૈયાનાથ અને જીઆઈડીસી જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની છે. પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી ન કરાતાં અને પદાધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ સાથે શહેરીજનોમાં રોષ ફેલાયો છે. પાણી ભરાઈ રહેવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકોએ તાત્કાલિક રાહતની માંગ કરી છે.

