VIDEO: AAPના કથિત હવાલા કાંડમાં ITની એન્ટ્રી, દિલ્હી કનેક્શન અને આંગડિયા પેઢીની પૂછપરછમાં મોટો ખુલાસો
સોર્સ : gstv
સુરતમાં આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌભાંડે રાજકીય ખળભળાટ મચાવ્યો છે. ક્રાઈમ બ્રાંચ બાદ હવે ઇનકમ ટેક્સ વિભાગે આ મામલે તપાસ તેજ કરી છે. 'અરવિંદ હિરેન' આંગડિયા પેઢીના સંચાલકની પૂછપરછમાં સામે આવ્યું છે કે, દિલ્હીના જનકપુરીના હિમાંશુ પાહુજાએ આ નાણાં મોકલ્યા હતા.તપાસમાં વધુમાં ખુલ્યું છે કે, સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નામના શખ્સો આ નાણાં લેવા માટે જતા હતા. આ નાણાંનો સ્ત્રોત શું છે અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં IT વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

