VIDEO: કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ, જાણો દક્ષિણ ગુજરાતની સુગર મિલો સાથે શું થશે
સોર્સ : gstv
કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ પ્રતિબંધથી દક્ષિણ ગુજરાતની સુગર મિલોને કોઈ નુકસાન થવાનું નથી. કેન્દ્ર સરકારે પહેલેથી જ મિલોને ક્વોટા ફાળવી દીધા હતા. હાલ ડોમેસ્ટિક બજાર સારું હોવાથી સુગર મિલોએ ખાંડની નિકાસ કરી જ ન હતી. જો ડોમેસ્ટિક બજાર નબળું પડે અને નિકાસ કરવી પડે તો તુરંત પેમેન્ટ મળવાથી વ્યાજનો બોજ ઘટે અને તેની અસર શેરડીના ભાવ પર પણ પડી શકે છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં સ્થાનિક બજાર મજબૂત હોવાથી મિલો તેમજ ખેડૂતો પર આ પ્રતિબંધની કોઈ અસર પડી ન હોવાનો દાવો કરાયો છે.

