VIDEO: Suratમાં પૌરાણિક જૈન દેરાસરમાં ચોરી, દાનપેટી અને ચાંદીના આભૂષણો પર કર્યો હાથ સાફ
સોર્સ : GSTV
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પૌરાણિક જૈન ગુરૂરામ પવનભૂમિ દેરાસરમાં ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે બે અજાણ્યા ચોરોએ નકશીદાર માર્બલની ઝાળી તોડી પરિસરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ દેરાસરમાંથી બે દાનપેટી, જૈન ભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણ ચોરી કરી ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ દળ સ્થળ પર દોડી આવ્યું હતું. પોલીસએ મંદિરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં બે શખ્સોના ચહેરા સ્પષ્ટ રીતે કેદ થયા છે.

