VIDEO: ખાડીપૂર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સક્રિય: આગામી બે દિવસમાં ડ્રોન સર્વે શરૂ થશે
સોર્સ : gstv
સુરતમાં ખાડીપૂરના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી બે દિવસમાં વરસાદ વિરમતાની સાથે જ સુરતની ખાડીઓનો હાઇ-ટેક ડ્રોન સર્વે શરૂ કરવામાં આવશે. આ મામલે NHAI, રેવન્યુ, DILR અને સુડા સહિતની વિવિધ સરકારી એજન્સીઓ તેમજ પ્રોજેક્ટ ડિરેક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ જરૂરી તમામ ડેટા અને નકશા આગામી ૨ થી ૫ દિવસમાં કન્સલટન્ટને સોંપી દે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કન્સલટન્ટને આ તમામ માહિતી મેળવીને માત્ર ૫ દિવસમાં જ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે, જેથી પૂરની સમસ્યાનો વહેલી તકે સચોટ અને કાયમી ઉકેલ લાવી શકાય.

