Surat news: ભાજપમાં બળવાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી, 4 નેતાઓને પક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

સોર્સ : gstv
સુરત જિલ્લા ભાજપમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં ભાજપમાં બળવાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કડોદરા નગરપાલિકામાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર ચાર આગેવાનોને ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં ભોળા ભરવાડ, રાજુ ભરવાડ, પ્રતાપ પ્રજાપતિ અને કૃણાલ રાઘવાણીનો સમાવેશ થાય છે. આ આગેવાનોએ જિલ્લા ભાજપ મહામંત્રી અંકુર દેસાઈ સામે રાજકીય કિન્નખોરીનો આક્ષેપ કરી ભાજપ સામે જ પેનલ મેદાનમાં ઉતારી હતી, જેના પગલે પક્ષે શિસ્તભંગના પગલાં ભર્યા છે.

