VIDEO: Surat / માંગરોળમાં વન વિભાગ લાલઘૂમ; પરવાનગી વગર લીલા વૃક્ષો કાપતા રેલવેની રૂ. 467 કરોડની કામગીરી અટકાવી
સોર્સ : GSTV
સુરતના માંગરોળના પાતળ દેવી અને માંડણ પાસે વન વિભાગે રેલવે વિભાગની વૃક્ષ કાપણીની કામગીરી અટકાવી દીધી છે. રૂ. 467 કરોડના ખર્ચે કોસંબા-ઉમરપાડા રેલવે લાઇનનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જેમાં રેલવે વિભાગ પરવાનગી વગર લીલા વૃક્ષો કાપતું હોવાનું બહાર આવ્યું હતું. વાંકલ રેન્જ ફોરેસ્ટની ટીમે સ્થળ પર પહોંચી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે ગરમાગરમી બાદ કડક કાર્યવાહીની સૂચના આપતા હાલ કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે.

