Surat news: ભાજપ નેતા નીતિન ભજીયાવાળાએ મેયરને લખ્યો ખુલ્લો પત્ર, લેટર બોમ્બથી રાજકારણ ગરમાયું

સોર્સ : gstv
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના પૂર્વ BJP પ્રમુખ નીતિન ભજીયાવાળાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે. આ ખુલ્લા પત્રથી સુરતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.
ચૌટા બજારમાં પણ થવી જરૂરી
આ પત્રમાં પૂર્વ BJP પ્રમુખ નીતિન ભજીયાવાળાએ ચૌટા બજારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે વરાછામાં જેમ મેયરે અંગત રસ દાખવીને દબાણો દૂર કરાવ્યાં, તેમ જ કાર્યવાહી ચૌટા બજારમાં પણ થવી જરૂરી છે.
ભજીયાવાળાએ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં SMCનું તંત્ર હજી સુધી જાગ્યું નથી
ભજીયાવાળાએ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં SMCનું તંત્ર હજી સુધી જાગ્યું નથી. બે વખત એમ્બ્યુલન્સ દબાણોમાં ફસાઈ જવાના બનાવો બની ચૂક્યા છે, જેમાં એક દર્દીનું હોસ્પિટલ પહોંચતા મૃત્યુ પણ થયું હતું.

