VIDEO: Surat જ્વેલર્સ એસોસિએશનની બેઠક યોજાઈ, આયાત ડ્યુટી વધવા છતાં PMની અપીલને આવકારી, કહ્યું- 'રાષ્ટ્ર પ્રથમ'
સોર્સ : GSTV
સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા તાકીદની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જ્વેલર્સના સંચાલકો હાજર રહ્યા હતા. સોનાની આયાત ડ્યુટી વધવા છતાં બજારમાં કોઈ ગભરાટ ભરી સ્થિતિ ઊભી ન થાય તે માટે વેપારીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું.એસોસિએશને 'દેશ અને રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે વડાપ્રધાનની અપીલને આવકારી જણાવ્યું કે, સરકારના દરેક નિયમોને અનુસરવા જ્વેલર્સ તૈયાર છે. બેઠકમાં ચર્ચા થઈ હતી કે જો દેશના મંદિરો અને લોકો પાસે રહેલું સોનું કોઈ સારી સ્કીમ દ્વારા રિસાયકલિંગ માટે માર્કેટમાં લાવવામાં આવે, તો આગામી એક વર્ષનો સમય સરળતાથી પસાર થઈ શકે છે.

