VIDEO: સુરતમાં પિરણીત પ્રેમીયુગલનો આપઘાત: સારવાર દરમિયાન બંનેના મોત
સોર્સ : gstv
સુરતમાં વરીયાવ બ્રિજ નીચે તાપી નદીના કિનારે પરિણીત પ્રેમીયુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉત્રાણના 40 વર્ષીય પરેશ ચૌહાણ અને વરાછાની 29 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. સાથે કામ કરતા હોવાથી પ્રેમસંબંધમાં બંધાયેલા બંને મૃતકો પરણિત અને સંતાનવાળા હતા. પ્રેમસંબંધમાં મનદુઃખ થતાં આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વચ્ચે સિંગણપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

