Surat: લેશપટ્ટીના કારખાનામાં અચાનક ફાટી નીકળી આગ, 4 કરોડથી વધુનું થયું નુકસાન

સોર્સ : GSTV
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લેશપટ્ટીના કારખાનામાં ગઈકાલે મોડી રાતે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ ફાયર વિભાગની 5 ગેટની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી દોઢ કલાકના ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પણ કારખાનાનો સંપૂર્ણ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં અંદાજે 4 કરોડથી વધુનું નુકસાન થયા હોવાનું અનુમાન છે. ત્યારે આગ ક્યા કારણે લાગી એ મુદ્દે તપાસ કરવામાં આવશે.

