સુરતના મહિધરપુરા ખાતે આંગડિયા પેઢીની ઓફિસમાં આગ લાગી હતી. જેથી અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આંગડિયા પેઢીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.