VIDEO : Suratમાં CR પાટીલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફસફાઈ કરી, SMC કમિશ્નર પણ રહ્યા હાજર
સોર્સ : gstv
સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફસફાઈ કરવામાં આવી હતી. શહેરના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન તેમણે સ્થળ પર સફાઈ કામગીરીમાં ભાગ લઈને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તેમની સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ નાગરાજન પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ અને સ્વસ્થ શહેરના નિર્માણ માટે નાગરિકોની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી હતી.

