VIDEO: સુરતમાં લગ્નના માત્ર બે જ મહિનામાં પરિણીતાએ કર્યો આપઘાત, પોલીસ હાથ ધરી તપાસ
સોર્સ : GSTV
સુરતના સુભાષનગર વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પ્લાસ્ટિકના દાણાના વેપારી પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લગ્નના ટૂંકા ગાળામાં જ યુવતીએ આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

