VIDEO: પાંડેસરામાં તબીબની બેદરકારીએ માસૂમનો જીવ લીધો હોવાનો આક્ષેપ, પરિવારે કહ્યું- વધુ પડતા ડોઝને કારણે થયું મોત
સોર્સ : gstv
સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબી બેદરકારીએ એક માસૂમનો જીવ લીધો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગણેશનગરમાં રહેતા 9 વર્ષીય રાજા રાજપૂતને તાવ આવતા ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી રિપોર્ટ વગર જ સારવાર શરૂ કરાઈ હતી.પરિવારનો આક્ષેપ છે કે વધુ પડતા ડોઝને કારણે બાળકની તબિયત લથડી અને તેનું મોત નીપજ્યું. આ મામલે પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તબીબ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

