Sabarkantha: નર્સિંગની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સોર્સ : GSTV
સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. માહિતી અનુસાર હિમાંશુ પરમાર અને હર્ષ વણકર નામના બે ઈસમો આ વિદ્યાર્થિનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જે બાદ કંટાળીને વિદ્યાર્થિની હેતલ સુતરિયાએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો.
હેતલ સુતરિયા નર્સિંગની વિદ્યાર્થીની હતી. ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીના ભાઈએ હિમાંશુ પરમાર અને હર્ષ વણકર આ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે જાદર પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર છે.

