Sabarkantha news: ઈડરના ઝીંજવા ગામમાં આવેલા મહાકાળી મંદિરના મંહતની હત્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

સોર્સ : gstv
સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં વધુ એક મહંતની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, ઝીંજવા ગામ તરફના મહાકાળી મંદિરમાં આ ઘટના બની છે. મહાકાળી મંદીરના મહંત પૂર્ણાનંદ સ્વામીની હત્યા કરવામાં આવી છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ઈડર પોલીસ, એલસીબી, ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી.
મહંતના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
મહંતના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મહંતની હત્યાને પગલે વિવિધ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઉલ્લેખનીય છે કે મહંતની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

