VIDEO : Sabarkantha ના હિંમતનગર હાઇવે પર ભંગારના ગોડાઉનમાં લાગી મોટી આગ, સદનસીબે જાનહાનિ ટળી
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ગાંભોઇ નેશનલ હાઇવે પર કરણપુર નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી....આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ હોવાનું સામે આવ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

