VIDEO: સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો આતંક વધુ એક માસૂમનું મોત
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેમાં પોશીના તાલુકાના વધુ એક માસૂમ બાળકે જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. આ બાળક છેલ્લા ત્રણ દિવસથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું, પરંતુ પરિવારજનો તબીબોની જાણ બહાર જ તેને ઘરે લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. એક પછી એક માસૂમ બાળકોના થતા મોતના પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

